મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ રામેશ્વર ફાર્મ ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદી ઘર નિર્માણના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. જેમાં સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી (લોક સાહીત્યકાર) ,મિલન પટેલ (ભજનિક) જેવા કલાકારોની સાથે મોરબીની દીકરી મીરા કૃષ્ણચંદ્ર દવેએ (બાળ કલાકાર) એ વિશાળ મંચ પરથી ભારે જનમેદની વચ્ચે ભજનની રમઝટ બોલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.