ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે નશીલી આયુર્વેદિક સિરપનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની 20 આયુર્વેદિક સિરપની બોટલ ઝડપી લઈ દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નેકનામ ગામે આવેલ સુમિત સીઝન સ્ટોર નામની દુકાનમાં બાતમીને આધારે દરોડો પાડતા હસમુખભાઈ ખોડાભાઈ નડીયાપરા નામના વ્યક્તિના સીઝન સ્ટોરમાંથી જેરેજેમ અશ્વ અરીષ્ઠા અને કાલમેઘાશ્વ અશ્વ અરીષ્ઠા બ્રાન્ડની અલગ અલગ 20 નશીલી આયુર્વેદિક સિરપની બોટલ કિંમત રૂપિયા 2820નો જથ્થો મળી આવતા ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.