મોરબી : દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા દર વર્ષે તા. ૨૧-મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે, તેમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.વધુમાં જણાવ્યા અનુસાર તા. ૨૧ મે, ૨૦૨૪ના રોજ તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના એકમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞા લેવામાં આવશે. શપથ ગ્રહણ કરનાર સહભાગીઓ અને આયોજકોની સલામતીને ધ્યાનમાં રાખીને, જાહેર મેળાવડાને ટાળવા માટે અધિકારીઓને તેમના રૂમ/ઓફિસોમાં ગંભીરતાપૂર્વક આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞા લેવાની સલાહ આપવામાં આવી છે.