મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના નેતાઓ રાવણને રોડ પર લઈને નીકળતા પોલીસ તંત્ર દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. આપના આગેવાનોના જણાવ્યા મુજબ મોરબીના ખરાબ રોડ રસ્તા, ગટરોની સમસ્યાઓ તેમજ બંધ હાલતમાં પડેલી સ્ટ્રીટ લાઈટોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે તેમજ ભાજપના અહંકારી રાવણ રૂપી નેતાઓને જગાડવા માટે થઈને તેમજ લોકોને જાગૃત કરવા માટે તેઓ ટ્રેક્ટરમાં અહંકારી રાવણને લઈને નીકળ્યા હતા. જેમાં અધવચ્ચેથી પોલીસ તંત્ર દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.