મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 24 માર્ચ, 2026 ના રોજ એક 85 વર્ષના વયોવૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન અવસ્થામાં આવ્યા, ત્યારે ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દીને લોહીની 4-5 ઉલ્ટીઓ થઈ હતી અને એના માટેનુ જરૂરી ઓપરેશન એ દિવસે જ કરાવેલું હતું, દર્દીના હ્રદયની મુખ્ય બે નળીઓમા બ્લોક આવેલુ હતુ, દર્દીના મગજમા લોહી નીકળેલુ છે, લિવર પર ડેમેજ થયેલુ છે, કિડની પર ડેમેજ થયેલુ છે, બી.પી ખૂબજ ઓછુ છે, ઓક્સિજન લેવલ ખૂબજ ઓછુ છે. આમ દર્દીની અતિ નાજુક સ્થિતિને ધ્યાનમાં લેતા તાત્કાલીક તેમને ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબની સારવાર હેઠળ આયુષ હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમા દાખલ કરવામાં આવ્યા, આમ વયોવૃદ્ધ દર્દીને આટલુ જીવનનું જોખમ હોવા છતા તેમના સચોટ નિદાન અને સારવારના પગલે દર્દીનો જીવ બચી ગયો અને માત્ર એક અઠવાડિયામાં તેમની હોસ્પિટલ માથી ચાલતા પગે રજા કરવામાં આવી હતી, આથી દર્દી તેમજ તેમના સગાઓ દ્વારા આયુષ હોસ્પિટલ અને ડો.સત્યજીતસિંહ જાડેજા નો ખુબજ આભાર માનવામાં આવ્યો હતો, આમ જીવન માટેની લડાઈમાં વધુ એક દર્દીને નવુ જીવન આપવામાં આવ્યું હતુ. તેમ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.