લોકડાયરામાં કલાકાર કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને મિલન પટેલ ઉપસ્થિત રહેશે મોરબી : કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા નંદીઓ માટે એક ભવ્ય નંદી ઘર બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી હવે તેના ભાગ રૂપે વિશાળ નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ માટે ભંડોળ ઉભુ કરવાના હેતુથી એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 21 ડિસેમ્બરનાં રોજ મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં દેશ વિદેશમાં જાણીતા કલાકારો કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મિલન પટેલ ઉપસ્થિત રહેશે. ત્યારે સૌ જીવદયા પ્રેમી મિત્રોને ડાયરામાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રના મો.નં. 7574885747 પર સંપર્ક કરવા જણાવાયું છે.