વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ગઈકાલે યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળવા મામલે વાંકાનેર તાલુકા પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજન વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે મકબુલભાઈની વાડીની ઓરડીમાંથી રવીત ડુંગરસિંહ બામનીયા ઉ.22 નામના યુવાનની લાશ મળી આવતા આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના ભાઈ સૂકુંભાઈ ડુંગરસિંહ બામનીયાની ફરિયાદને આધારે બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યા કરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.