ચક્રવાત ન્યૂઝની ટીમ દ્વારા મોરબી જલારામ મંદિરમાં મહાપ્રસાદ યોજાયો

- text


પત્રકાર સંજયભાઈ વાધડીયા અને યોગેશભાઈ રંગપડીયા દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું 

મોરબી : મોરબીના ચક્રવાત ન્યૂઝના ફેસબુક પેજ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા પત્રકાર સંજયભાઈ વાધડીયા અને યોગેશભાઈ રંગપડીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે મોરબીના પત્રકાર પાર્થ પટેલ, પત્રકાર ધવલ ત્રિવેદી, અભય પટેલના હસ્તે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. શ્રી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા સહિતનાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

- text

- text