ચંદારાણા પરિવારે મોરબીના જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી સ્વજનને શ્રદ્ધાંજલિ આપી

- text


સ્વર્ગસ્થ પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કરાયું

મોરબી : મોરબીના આયુષ સિલેક્શન વાળા હિતેશભાઈ ચંદારાણાના પિતા સ્વ. દિનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણાની અંતિમ ઈચ્છા હતી કે, મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં ગુરુવારનો મહાપ્રસાદ યોજવો. જેથી સદગતની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમના શ્રાધ્ધ વિધિ નિમિત્તે તેમના પુત્ર હિતેશભાઈ ચંદારાણા સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે સદગતના પરિવારજનોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. શ્રી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા સહીતનાઓએ સ્વ. દિનેશભાઈ ચંદારાણાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text

- text