મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ બન્યો જીવલેણ : ગાય અને બકરીનો ભોગ લીધો

- text


કોઈ વ્યક્તિને શોર્ટ લાગે તે પહેલાં પીજીવીસીએલ કાર્યવાહી કરે તે જરૂરી

મોરબી : મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ જીવલેણ બન્યો છે. આ પોલે ગઈકાલે એક બકરી તો આજે એક ગાયનો ભોગ લીધો છે. જેથી હવે પીજીવીસીએલ કોઈ વ્યક્તિને વીજશોક લાગે તે પૂર્વે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકરાણીવાસમાં રામઘાટ પાસે આજે સાંજે 5 વાગ્યાના અરસામાં ટીસીના વીજ પોલને અડકતા એક ગાયને વીજ શોક લાગ્યો હતો. આ ગાય પોલ સાથે અંદાજે બેથી ત્રણ કલાક ચોટીને રહી હતી. જો કે બાદમાં પીજીવીસીએલની ટિમ આવી ગઈ હતી. ગઈકાલે પણ આ પોલને અડકતા એક બકરીનું પણ વીજશોકથી મોત થયું હતું.

- text

- text