વાધરવા ગામના આદ્યશક્તિ વિદ્યા મંદિરમાં આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : મરવડ કેળવણી મંડળ રંગપર દ્વારા વાધરવા ગામના આદ્યશક્તિ વિદ્યા મંદિરમાં આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ તકે ટ્રસ્ટના પ્રમુખ દિલુભા ઝાલા, સહકારી અગ્રણી મગનભાઇ વડાવિયા, કથાકાર દિલીપભાઈ વ્યાસ, બ્રહ્મ અગ્રણી ડો.અનિલભાઇ મહેતા, હસુભાઇ પંડયા, ઓમશાંતિ સ્કુલના પ્રમુખ સુમનભાઈ પટેલ, માળીયા તાલુકા સંધના પ્રમુખ મનહરભાઈ બાવરવા તેમજ વાધરવાના સરપંચ અનિરુધસિંહ જાડેજા, રાજપુત સમાજ અગ્રણી મહેન્દ્રસિંહ ઝાલા તેમજ ગામનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાજેશભાઇ ડાંગર કર્યુ હતુ.

- text

- text