હળવદમાં એસટી બસની ઠોકરે અજીતગઢના વૃધ્ધનું મોત

- text


બાઈક રીક્ષા સાથે અથડાયા બાદ એસટી બસના પાછળના જોટામાં આવી ગયું

હળવદ : હળવદ શહેરમાં આવેલ હીરાવાડી પાસે આજે ગુરુવારે બપોરના સમયે હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસની હડફેટે આવી જતા અજીતગઢના વૃધ્ધનું મોત નિપજ્યું હતું.બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ હીરાવાડી પાસે આજે ગુરુવારે બપોરના બારેક વાગ્યાની આસપાસ હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ વિનોબા ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા મનુભાઈ ગોકળભાઈ લોરીયા ઉંમર વર્ષ 65 પોતાના બાઈક પર જઈ રહ્યા હતા તે વેળાએ બાઈકનો અરીસો રીક્ષા સાથે અથડાય જતાં બાજુમાં જઈ રહેલી એસટી બસના પાછળના જોટામાં આવી જતા મનુભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતના બનાવની જાણ હળવદ પોલીસને થતા વિપુલભાઈ નાયક,કમલેશભાઈ, મયુરભાઈ સહિતના પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text