મોરબી ‘આપ’ દ્વારા જિલ્લા પ્રમુખ, મહામંત્રી અને નગરપાલિકાના ઇન્ચાર્જની નિમણૂક

- text


‘આપ’ના અગ્રણીઓની અધ્યક્ષતામાં સંકલન બેઠક મળી

મોરબી : મોરબી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી મજબૂત બને તે માટે તેમજ આગામી ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીના અગ્રણીઓની અધ્યક્ષતામાં તાજેતરમાં સંકલન બેઠક મળી હતી. જેમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે મહાદેવભાઇ પટેલ, નગરપાલિકા ઇન્ચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયા તેમજ જિલ્લા મહામંત્રી તરીકે પંકજભાઈ આદ્રોજાની નિમણૂક કરવામાં આવી છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમના ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઈટાલીયા, મનોજભાઈ સોરઠીયા, કૈલાશદાનભાઈ ગઢવી તથા મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લામાં સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં આવનારા સમયમાં યોજાનાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લામાં મજબૂત બને એ માટે મોરબી જિલ્લા પ્રમુખ, મહામંત્રી અને મોરબી નગરપાલિકા ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી હતી.

આ સંકલન બેઠકમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે મહાદેવભાઈ ચતુરભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. જેઓ આમ આદમી પાર્ટીના પુર્વ પ્રમુખ રહીં ચુક્યા છે અને ખુબ જ મહેનતું અને લડાયક મિજાજ ધરાવે છે. આ ઉપરાંત મોરબી નગરપાલિકા ઇન્ચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયાની નિમણૂક કરી છે. જેઓ બે વખત મોરબી નગરપાલિકા ચૂંટણી જીત્યા છે. વસંતભાઈએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી.

- text

હાલ નગરપાલિકાની ચુંટણીને ધ્યાનમાં લઈને નગરપાલિકામાં આમ આદમી પાર્ટી મજબુત બને એ માટે સખ્ખત મહેનત કરે છે. જ્યારે મોરબી જિલ્લા મહામંત્રી તરીકે યુવા ચહેરો પંકજભાઈ આદ્રોજાની નીમણુંક કરવામાં આવી હતી. પંકજભાઈ આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન છે. સતત પાર્ટી પાછળ તન મન ધનથી મહેનત કરે છે. પંકજભાઈ આમ આદમી પાર્ટીમાં 2018થી જોડાયેલા છે અને શરૂઆતમાં સોશિયલ મીડિયાથી પાર્ટીમાં સેવા આપી હતી. પછી યુવા મહામંત્રી તરીકે યુવા ટીમ મજબુત બનાવી હતી. હવે મોરબી જિલ્લા ટીમ મજબુત બને એ માટે તેમની નિમણૂક કરી છે.

- text