તસ્કરો બેફામ : હનુમાનજીના મંદિર અને માતાજીના મઢમાં ચોરી

- text


વાંકાનેરના લુણસરિયા અને બોકળથંભા ગામમાં ધાર્મીક સ્થળોને નિશાન બનાવતા તસ્કર : ચોરીના સીસીટીવી ફૂટેજ પણ થયા જાહેર

મોરબી : તસ્કરોને પોલીસ ઉપરાંત હવે ભગવાનનો પણ ડર ન લાગતો હોય તેમ બેફામ બન્યા છે. તસ્કરોએ વાંકાનેર પંથકના બે ગામોમાં મંદિરોને નિશાન બનાવીને લાખોની કિંમતની વસ્તુઓની ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામના પાદરમાં આવેલ હનુમાનજી મંદિરમાં ગત મોડી રાત્રે 1 વાગ્યે એક બુકાનીધારી શખ્સ ત્રાટકયો હતો. આ શખ્સ સંપૂર્ણ તૈયારી સાથે આવ્યો હોય તેમ ઉપર શર્ટ પહેર્યો ન હતો અને સાથે તેલ પણ લગાવેલું હતું. જેથી કોઈ પકડે તો તસ્કર હાથમાં આવી ન શકે. આ તસ્કરે આ મંદિરમાં ચોરીને અંજામ આપ્યો હતો.

સ્થાનિક જ્યેન્દ્રસિંહના જણાવ્યા મુજબ તસ્કરોએ દોઢ કિલોના ચાંદીના મુગટની ચોરી કરી હતી. આ મામલે પૂજારી દિનેશભાઈ ધરમશીભાઈ ટોળીયાએ પોલીસમાં અરજી પણ કરી છે. ઉપરાંત બાજુના બોકળથંભા ગામે પણ મોમાઈ માતાજીના મઢમાંથી ચાંદીના છતર, દાનપેટીમાંથી રોકડ સહિત અંદાજે રૂ. 2 લાખ જેટલી કિંમતની વસ્તુઓની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text