વિદ્યાસહાયકોની ભરતી મામલે શિક્ષણમંત્રીને રજુઆત કરતા ધારાસભ્યો

- text


મોરબી : મોરબી અને હળવદના ધારાસભ્યોએ ટેટ પાસ ઉમેદવારની સાથે જઈને વિદ્યાસહાયકોની ભરતી મામલે શિક્ષણમંત્રીને રૂબરૂ રજુઆત કરી છે.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ટેટ પાસ ઉમેદવાર સાથે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને રજુઆત કરી હતી. જેમાં જણાવાયુ હતું કે વિદ્યાસહાયકોની 5360માંથી 2600ની ભરતી કરવામાં આવી છે. તેમજ બાકી રહેલી 2750 અને અન્ય મંજૂર થયેલી ભરતી સત્વરે જાહેર કરવામાં આવે. રજૂઆતના પ્રત્યુત્તરમાં શિક્ષણ મંત્રીએ ટૂંક સમયમાં જાહેરાત બહાર પાડવામાં આવશે તેવો હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

- text

- text