મોરબીના દલવાડી સર્કલ ખાતે આજે રાત્રે રામામંડળનું આયોજન 

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા દલવાડી સર્કલ ખાતે આજે તારીખ 9 જૂન ને રવિવારના રોજ રાત્રે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. વિપુલભાઈ મુકેશભાઈ વરાણીયા દ્વારા દલવાડી સર્કલ ખાતે મોટી માલવણનું પ્રખ્યાત સદગુરુ રામામંડળ રમાડવામાં આવશે. જેમાં વિવિધ કલાકારો દ્વારા રામદેવપીરજી મહારાજનું જીવન ચરિત્ર રજૂ કરવામાં આવશે. સમગ્ર રામામંડળનું લાઈવ પ્રસારણ સદગુરુ રામામંડળ મોટી માલવણ યુટ્યૂબ ચેનલ પર કરવામાં આવશે. તો સમગ્ર ધર્મ પ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text