- text
મોરબી : મોરબીમાં અનેકવિધ સેવાકીય કાર્યો કરતાં અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા માતા-પિતા વિહોણી 11 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાશે.
આગામી તારીખ 20 જાન્યુઆરી, 2024 ને શનિવારના રોજ માતા-પિતા વિહોણી 11 દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે. આ દ્વિતિય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં માતા-પિતા વિહોણી, ગરીબ પરિવારની કોઈપણ દીકરી જોડાઈ શકશે. તેથી કોઈપણના ધ્યાનમાં આવી દીકરી હોય તો વહેલી તકે અનસ્ટોપેબલ વોરિયર્સના હેતલબેન પટેલ (મો.નં. 9586052226)નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.
- text
- text