મોરબીની ખોડિયાર ગરબી મંડળમાં બાળાઓને દશેરાના પર્વે લ્હાણી અપાઈ

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર-4 સો ઓરડી વિસ્તારમાં યોજાયેલી ખોડિયાર ગરબી મંડળની બાળાઓને ગઈકાલે દશેરાના પર્વે લ્હાણી આપવામાં આવી હતી.

ખોડિયાર ગરબી મંડળની બાળાઓને મોરબી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હરીભાઇ રાતડીયા, પૂર્વ કાઉન્સિલર મનસુખભાઈ બરાસરા, સુરેશભાઈ શિરોહીયા, ગૌતમભાઈ સોલંકી, પંકજભાઈ વારનેસિયા, મહેશભાઈ સોલંકી, સાહુલ પ્રજાપતિ, હર્ષદભાઈ વામજા, હસમુખભાઈ વામજા, ચેતનભાઈ પુરોહિત, અશ્વિનભાઈ પટેલ દ્વારા બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખોડિયાર ગરબી મંડળના અભિષેકભાઈ વાધેલા દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, સોઓરડી વિસ્તારમાં ખોડિયાર ગરબી મંડળ દ્વારા છેલ્લા 71 વર્ષથી નાટક અને ગરબાની રમઝટ સાથે હીન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રાચીન ગરબા ગવાય છે. જેનું આયોજન ખોડાભાઈ છનાભાઈ વાઘેલા અને લાલજીભાઈ પોપટભાઈ વાણીયા દ્વારા કરાય છે.

- text

- text