- text
ટોળાએ કરેલ હુમલામાં સિટી પીઆઇ સરવૈયા ઇજાગ્રસ્ત થતા સારવારમા
વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ મથકનો કાફલો આજે તપાસના કામે લીંબાળા ગામે ગયો હતો ત્યારે ટોળાએ હુમલો કરતા સિટી પીઆઇ સરવૈયા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
- text
બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ કન્ટ્રોલરૂમ અને અમારા સ્થાનિક પ્રતિનિધિ તરફથી મળતા અહેવાલો મુજબ આજે સિટી પોલીસ સ્ટાફ પીઆઇ સરવૈયા સાથે તપાસમાં ગયા હતા ત્યારે અચાનક જ ટોળાએ હુમલો કરતા સિટી પીઆઇ ઇજાગ્રસ્ત થયા હતા.
વધુમાં હાલમાં ઇજાગ્રસ્ત સિટી પીઆઇ સરવૈયાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો વાંકાનેર દોડી ગયો છે.
- text