મોરબીમાં ફાટક ખોલવા બાબતે ચાર અજાણ્યા શખ્સોએ માર માર્યાની રેલ્વે કર્મચારીની ફરિયાદ

- text


મોરબી : મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક આવેલ રેલવે ફાટક ન ખોલવા બાબતે ચાર શખ્સોએ માર માર્યો હોવાની એક રેલવે કર્મચારીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ રેલવે ફાટક ઉપર ગણેશ મીણા નામના રેલવે કર્મચારી પોતાની ફરજ ઉપર હતા. રાતના સમયે ટ્રેન પસાર થવાની હતી જેથી કરીને તેઓએ રેલવે ફાટક બંધ રાખી હતી. જોકે, આ રેલવે ફાટક પાસે રાત્રિના સમયે કારમાં ત્રણથી ચાર શખ્સો આવ્યા હતા અને તેમણે રેલવે ફાટક ખોલવા માટે કહ્યું હતું. પણ રેલવે કર્મચારીએ ફાટક ખોલવાની ના કહી હતી. બાદમાં આ શખ્સો થોડીવાર પછી પાછા આવ્યા હતા અને રેલવે કર્મચારી સાથે બોલાચાલી કરી મૂંઢ માર માર્યો હતો. આ મામલે રેલવે કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text