ભાજપ : બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો તથા વાંકાનેર શહેર પ્રમુખની નિમણૂક કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપમાં બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો અને વાંકાનેર શહેર મંડળના પ્રમુખની નિમણૂક અંગે જાહેરાત કરવામાં આવેલ છે.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાથે પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા આજે તા.10 ના રોજ મોરબી જીલ્લાના બક્ષીપંચ મોરચા અને વાંકાનેર શહેર મંડળના હોદેદારોની નીમણુંક કરવામાં આવેલ છે.

- text

જે મુજબ મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે અમૃતલાલ કાનજીભાઈ ઠાકરાણી (વાંકાનેર શહેર) તેમજ મહામંત્રી તરીકે અનિલભાઈ મલાભાઈ હડીયલ (મોરબી શહેર) અને બીપીનભાઈ અમરશીભાઈ પ્રજાપતિ (ટંકારા ગ્રામ્ય)ની નિમણૂક કરવામાં આવેલ છે. વધુમાં, વાંકાનેર શહેર મંડળના પ્રમુખ પદે પરેશભાઈ શંભુભાઈ મઢવી (વાંકાનેર શહેર)ને જવાબદારી સોંપવામાં આવેલ છે.

- text