માળિયા પંથકમાં થયેલી લૂંટનો ફરાર આરોપી જામનગરમાંથી ઝડપાયો

- text


 

એસ.ઓ.જી શાખાની ટીમે આરોપીને ઝડપી લઇ મોરબી પોલીસને સુપ્રત કર્યો

મોરબી: મોરબીના માળિયા વિસ્તારમાંથી તાજેતરમાં થયેલી એક લૂંટનો આરોપી ભાગી છૂટયા પછી જામનગર જિલ્લામાં સંતાયો હોવાની બાતમીના આધારે જામનગરની એસ.ઓ.જી ટીમે ધૂવાવ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને પકડી પાડયો હતો, અને મોરબી પોલીસને સુપરત કરી દીધો છે.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં જ લૂંટનો ગુનો નોંધાયો હતો. માળીયા નજીક થયેલી લૂંટ પ્રકરણમાં સંડોવાયેલો આરોપી તોસીફ ઉર્ફે નવાબ સિકંદરભાઈ કે જે મોરબીમાં ગુલાબનગર ચાર ગોદામ પાછળ રહે છે, અને લૂંટની ઘટનાને અંજામ આપ્યા પછી જામનગર પંથકમાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી જામનગર એસ.ઓ.જી શાખાને મળી હતી.જે બાતમીના આધારે ગઈકાલે એસઓજીની ટીમે ધૂવાવ ગામમાં આવેલી મસ્જિદ નજીક વોચ ગોઠવી આરોપી તૌસિફ ઉર્ફે નવાબને પકડી પાડયો હતો, અને મોરબી પોલીસને જાણ કરતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની ટુકડી જામનગર આવી પહોંચી હતી, અને આરોપી નો કબજો સંભાળી મોરબી લાવ્યા હતા.

- text