મોરબીના સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા શહીદ પરિવારને રૂ. 3.51 લાખની સહાય

- text


 

મોરબી : મોરબીના સિરામિક ટ્રેડર્સ એસોસિશને આજે પ્રજાસત્તાક દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આજના આ રાષ્ટ્રીય પર્વે એસો. દ્વારા દેશની રક્ષા કાજે શહીદી વ્હોરનાર સૈનિકના પરિવારને સહાય કરવામાં આવી હતી.

- text

આર્મીમાં ફરજ દરમિયાન શહીદી વહોરનાર સાયલા તાલુકાના ચોરવીરા ગામના રઘુભાઈ રાયાભાઈ બાવળીયાને મોરબીમાં સિરામિક ટ્રેડર્સ એસો.એ શ્રદ્ધાંજલિ પાઠવી અને શહીદ પરિવારને રૂ. 3.51 લાખની સહાય આપી હતી. આ સહાય એસો.ના કલ્પેશ હલપરા, જયેશ મનીપરા, હરેશભાઈ અઘેરા, સૌરભભાઈ ચોપરા, વિપુલભાઈ સુરાણી સહિતનાએ રૂબરૂ જઈને આપી હતી.

- text