મોરબીમાં સદગતના સ્મરણાર્થે કાલે મંગળવારે રક્તદાન અને ફ્રી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીના સામાજિક કાર્યકર લાલુભા માનુભા ઝાલા દ્વારા તેના મોટા ભાઈ સ્વ. ઉમેદસિંહ માનુભા ઝાલાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી નિદાન-સારવાર કેમ્પનું આવતીકાલ તા. 26/01/2021ના રોજ સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સવારે 10 કલાકે દીપ પ્રાગટ્ય, 10-15 કલાકે ધ્વજવંદન, 10-30 કલાકે મેડિકલ કેમ્પ અને બપોરે 2 કલાકે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પમાં ડો. રાજદિપસિંહ ચૌહાણ (હાડકા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), ડો. જિગેન ગોહેલ (યુરો સર્જન), ડો. સોહમ શાહ (જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન), ડો. દર્શન પરમાર (એમ.ડી. મેડિસિન), ડો. ધૈર્ય જોશી (બાળરોગ નિષ્ણાત) અને ડો. ભાવના જોશી (સ્ત્રી રોગ નિષ્ણાત, મોરબી) સેવા આપશે. વધુ વિગત માટે મો.નં. ૯૮૭૯૨૫૩૪૧૦ પર સંપર્ક કરી શકાશે.

- text

 

- text