- text
મોરબી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મોરબીમાં કોંગ્રેસ દ્વારા તા. 20થી તા. 24 સુધી તાલુકાવાઈઝ જનસંપર્ક અભિયાન યોજાનાર છે. જેમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને અગાઉ ચૂંટણી લડેલા ઉમેદવારો અને રાજકરણમાં રસ ધરાવતા લોકો ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા હોય તે નામ નોંધાવી શકે છે. તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ અભિયાનમાં જોડાવા માટે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી દ્વારા યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
- text
- text