વાંકાનેરમાં કરુણા અભિયાન અંતર્ગત દોરાથી ઘાયલ પશુ-પક્ષી માટે સારવાર કેન્દ્ર શરૂ

- text


 

પતંગના દોરાથી ઘાયલ અબોલ પશુ-પક્ષીની સારવાર માટે બર્ડ હેલ્પ લાઈન ગ્રુપ અને વન વિભાગ દ્વારા વાંકાનેર માર્કેટ ચોકમાં સારવાર કેન્દ્ર શરૂ

વાંકાનેર : સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ અને માણસોને નુકશાન ન થાય તે હેતુથી “કરૂણા અભિયાન” હાથ ધરવામાં આવે છે અને ઉતરાયણ જેવા પર્વની ઉજવણી જેવો માનવનો હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ અબોલ પશુ-પક્ષીઓ માટે અને માણસોને કોઇ ખતરારૂપ ન થાય તે રીતે ઉજવવામાં આવે તે દિશાઓમાં પ્રયત્નો થાય અને લોકોમાં જાગૃતિ કેળવાય છે. આ સંદર્ભે “કરૂણા અભિયાન-૨૦૨૧” અંતર્ગત વાંકાનેરમાં નાગરિક બેંક માર્કેટ ચોક ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમનો જાહેર જનતાએ નોંધ લઇ વાંકાનેર શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ ધાયલ થાય તો કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

- text

સી.વી.સાણજા ૭૫૭૪૯૫૦૪૦૦
ટી.એન.દઢાણીયા ૯૮૨૫૦૫૬૩૭૩
અમીત શાહ ૯૭૩૭૫૯૯૯૯૦

- text