- text
પરિવારજનોનો ઠપકો સહન ન થતા સગીરાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
મોરબી : મોરબીના સામાકાંઠે રહેતી અને કોલેજના પ્રથમ.વર્ષમાં ભણતી સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરેબેઠા અભ્યાસમાં ધ્યાન દેવા બાબતે પરિવારજનોએ ઠપકો આપતા લાગી આવવાથી સગીરાએ મોતને વ્હાલું કરી લીધાનું ખુલ્યું છે.
આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી.પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી મેઈન રોડ પરના રામદેવનગર વિસ્તારમાં રહેતીમીતલબેન હીતેશભાઇ સાગઠીયા (ઉ.વ. ૧૭) નામની સગીરાએ ગઈકાલે તા.૧૦ ના રોજ પોતાના ઘરે રૂમમા પંખા સાથે ચુદડી બાધી ગળે ફાસો ખાઇ લેતા તેણીનું મોત નીપજ્યું હતું.
- text
આ બનાવ સંદર્ભે પોલીસની પૂછપરછમાં મૃતકના પરિવારજનોએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે મૃતક સગીરા કોલેજના પહેલા વર્ષમા અભ્યાસ કરતી હતી. પણ તેણી જીદી સ્વભાવની હોય અને છેલ્લા ઘણા સમયથી એકલી -એકલી બેસી રહેતી હોય અને અભ્યાસના ટેન્સનમા રહેતી હતી તથા ઘરના કામમા ધ્યાન દેતી હોય. જેથી, તેણીને અભ્યાસમા ધ્યાન દેવા બાબતે ઘરના સભ્યોએ ઠપકો આપતા આ બાબતે લાગી આવતા તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- text