વાંકાનેર : પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ આપઘાતની કોશિશ કર્યાની ફરિયાદ

- text


 

પરિણીતાની ફરિયાદના આધારે તેના પતિ અને સાસુ સામે ગુન્હો નોંધાયો

વાંકાનેર : વાંકાનેરમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ આપઘાતની કોશિશ કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં પરિણીતાએ તેના પતિ અને સાસુ સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નમીરાબેન સોયેબભાઇ ઉર્ફે સની બ્લોચ (ઉવ.૨૨, રહે.ભાટીયા સોસાયટી,મસ્જીદ પાછળની શેરી, ચંદ્રપુર તા.વાંકાનેર)એ તેના પતિ સોયેબભાઇ ઉર્ફે સની અલીમહંમદભાઇ બ્લોચ તથા સાસુ મુમતાઝબેન અલીમહંમદભાઇ બ્લોચ (રહે. બંને ભાટીયા સોસાયટી, મસ્જીદની પાછળની શેરી, ચંદ્રપુર તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૮ ના રોજ ફરીયાદી બેનને તેના ચાર વર્ષના દાંપત્યજીવન દરમ્યાન તેણીના પતિ તેમજ સાસુ મુમતાઝબેન અલીમહંમદભાઇ બ્લોચએ ત્રાસ આપી તેમજ આરોપી પતિ કોઇ સ્ત્રી સાથે પ્રેમસંબંધ ધરાવતો હોય તેવી ફરીયાદીને શંકા હોય તે બાબતે બન્નેએ બોલાચાલી કરી માનસીક શારીરિક દુખત્રાસ આપતા તેમજ ફરીયાદીને આરોપીઓે તુ ગમતી નથી તારા માવતરે જતી રહે તેવુ કહેતા ફરીયાદીને મનમા લાગી આવતા ફરીયાદીએ પોતાની રીતે ઝેરી દવા પીને આપઘાતની કોશિશ કરી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text