- text
અમદાવાદ કચ્છ હાઇવે પર બન્યો બનાવ: પશુપાલક દ્વારા વળતરની માંગ
હળવદ : આજે વહેલી સવારના હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક અમદાવાદ-કચ્છ હાઇવે પર કન્ટેનર ચાલકે 20 જેટલા ઘેંટા પર ફેરવી દેતા 17 ઘેંટાના મોત નિપજ્યા છે જ્યારે ત્રણ ઘેંટા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ બે જવાબદારીપૂર્વક કન્ટેનર ચલાવનાર ચાલકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા મશરૂભાઈ માંડણભાઈ ભરવાડ અને દેવાભાઈ રુખડભાઈ આજે સવારના પોતાના ઘેંટાઓને લઈ ચારવા માટે જઈ રહ્યા હતા ત્યારે કચ્છ અમદાવાદ હાઈવે પર બે જવાબદારીપૂર્વક પુરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે ઘેંટાઓને અડફેટે લીધા હતા જેમાં 17 ઘેંટાના મોત નિપજ્યા છે જ્યારે ત્રણ જેટલા ઘેંટા ગંભીર રીતે ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે.
- text
બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ કન્ટેનર ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સાથે જ પશુપાલકો દ્વારા પોતાની આજીવિકા જેના પર નિર્ભર હતી તે ઘેંટાઓના મોત નિપજતા રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
- text