- text
દિવ્યાંગોને લગતી યોજનાની માહિતી આપી પ્રશ્નોનું નિરાકરણ લવાશે
મોરબી : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી દ્વારા ૩ ડિસેમ્બર ૨૦૨૦ના વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાના દિવ્યાંગજનો સુધી દિવ્યાંગ કલ્યાણકારી યોજનાની જાણકારી આપવામાં આવશે.
- text
આ વેબીનારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દિવ્યાંગોને લગતી યોજનાની માહિતી આપી તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. આ વેબીનારમાં જોડાવા ગૂગલ મીટ એપ લિંક https://meet.google.com/nbo-ikrc-uqz માં તા.૦૩/૧૨/૨૦૨૦ના સમય:૦૨:૦૦ થી ૦૩:૦૦ કલાક દરમ્યાન દિવ્યાંગજનોએ જોડાવવા મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનીલાબેન પીપલીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.
- text