- text
મોરબી : મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા માળીયા (મીં.) પોલીસ સ્ટેશનના ગુનામાં સગીરાને અપહરણ કરી લઇ જનાર ઇસમ તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં ગત તા. 7ના રોજ જાહેર થયેલ ગુના મુજબ આરોપી દિનેશભાઇ સીરદારસિંહ ભુરીયા (રહે- કાટકુવા, જી. અલીરાજપુર, રાજ્ય એમ.પી.) સગીર વયની ભોગ બનનારને અપહરણ કરી લઇ ગયેલ હતો. તે બનાવની તપાસ દરમ્યાન પોલીસને મળેલ ખાનગી બાતમી આધારે તેમજ ટેકનિકલ સોર્સ દ્વારા ઉપરોક્ત બન્ને અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના કલ્યાણપુર ગામની સીમ ખાતે હોવાનુ જાણવા મળતા તાત્કાલીક પોલીસ ટીમ અમરેલી જીલ્લા ખાતે ટીમ રવાના થઈ હતી. અને બન્નેને શોધી લઇ મોરબી ખાતે લાવવામાં આવેલ છે. અને તેઓની કોવિડ-19 સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- text
- text