મોરબીમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


 

 

મોરબી : મોરબીમાં આધેડે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વિસીપરા વિસ્તાર અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા ગોવિંદભાઇ હીરાભાઇ મકવાણા ઉ.વ-૫૦ નામના આધેડે ગઈકાલે તા-૨૧ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાસો ખાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું.બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.મોરબી એ ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરી મૃતકે ક્યાં કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા તેમના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text