મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરાઈ

- text


મોરબી : ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ’ સૂત્ર સમાજને આપી અને પોતે પણ એ સૂત્ર જીવનમાં ઉતારી જીવન સાર્થક કરી ગયેલા સંત જલારામ બાપાની આજે 221મી જન્મજ્યંતિ છે. જેના નિમિત્તે મોરબીમાં લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે સજાવટ કરી ઉજવણી કરવામાં આવી હતી.

- text

આજે જલારામ બાપાની 221મી જન્મ જયંતી પ્રસંગે લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે લોહાણા વિદ્યાર્થી ભુવનના પ્રમુખ અને જલારામ સમિતિના આયોજક ભુપતભાઈ રવેશીયાએ જલારામ બાપાના ચરણોમાં શીશ જુકાવી લોહાણા સમાજમાં સુખ-સમૃદ્ધિ રહે અને લોકોને કોરાનાની મહામારી સામે રક્ષા કરવા પ્રાર્થના કરી હતી. આ તકે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા. અને જલારામ જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી.

- text