મોરબી : મહાપ્રભુજીની બેઠક ખાતે સોમવારે અન્નકૂટ દર્શન અને ગોર્વધન પૂજાનું આયોજન

- text


મોરબી : મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ પાછળ આવેલ મહાપ્રભુજીની બેઠક ખાતે તા.23ના રોજ સોમવારને કારતક સુદ નોમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 7 વાગ્યે જાગ્યાના દર્શન, સવારે 7-30 વાગ્યે મંગલા દર્શન, સવારે 9 વાગ્યે ગોર્વધન પૂજા, સવારે 9-30 વાગ્યે શૃંગાર દર્શન, સવારના 7 થી 9 વાગ્યા દરમ્યાન ઝારી ચરણ સ્પર્શ, બપોરે 3થી સાંજના 5 વાગ્યા સુધી અન્નકૂટ દર્શન રાખવામાં આવશે. આ અવસરે મહાપ્રભુજી બેઠકના મુખ્યાજી અતુલભાઈ ભટ્ટે સ્થાનિક અને બહારગામના વૈષ્ણવ સમાજના લોકોને આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

- text