મોરબી ABVP દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી ABVP દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાણી લક્ષ્મીબાઈને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ગઇકાલે ABVP – અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા “વિરાંગના રાણી લક્ષ્મીબાઇ”ની જન્મજયંતિ અને “સ્ત્રી શક્તિ દિવસ”ની ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા કાર્યકર્તાઓ દ્વારા લક્ષ્મીબાઈના જીવન ચારિત્ર્યને યાદ કરી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ નગર અધ્યક્ષ જશવંતભાઈ મીરાણી ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યકર્તાઓ દ્વારા રાણી લક્ષ્મીબાઈના જીવન ચારિત્ર્ય વિશે વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text