અંબાજીથી મોરબી આવતી ST બસમાં આધેડનું હાર્ટએટેકથી મૃત્યુ

- text


મોરબી : અંબાજીથી મોરબી ST બસમાં પત્ની સાથે મોરબી આવી રહેલા આધેડનું ચાલુ બસે હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 17ના રોજ સાંજે 5-20 વાગ્યા આસપાસ અંબાજીથી મોરબી ST બસ આવી હતી. જેમાં વસંતભાઇ હરખલાલભાઇ (ઉ.વ. 56, રહે. હાલ ખોડીયારનગર, બજરંગનગર, મુળ ગામ નેસડા (સુ.), તા. ટંકારા) તેમના પત્ની સાથે ઊંઝા ઉમિયા માતાજીના મંદિરેથી દર્શન કરી એસ.ટી. બસમાં બેસીને આવતા હતા. ત્યારે મોરબી નજીક ઘુટુ ગામ પાસે બસ પહોંચતા વસંતભાઈના પત્ની કંચનબેને વસંતભાઈને જગાડવાની કોશિશ કરેલ હતી. પરંતુ વસંતભાઈ જાગેલ નહિ. જેથી, કંચનબેને તેમના સગા-સબંધીને મોરબીના નવા બસ સ્ટેન્ડએ બોલાવેલ હતા. અને વસંતભાઈને બસમાંથી ઉતારી મોરબી સરકારી હોસ્પીટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે વસંતભાઈને તપાસીને હાર્ટ એટેક આવવાના કારણે વસંતભાઈનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text