મોરબી : પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીકી હત્યા

- text


પારકા ઝઘડામાં શંકાના આધારે નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો : મૃતકની પત્નીએ અજાણ્યા ત્રણ શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના જાંબુડિયા ગામ પાસે એક યુવાનની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં શનિવારે સાંજે ત્રણ શખ્સો એક અન્ય શખ્સને માર મારી રહ્યા હોય એ દરમિયાન આ મૃતક યુવાન ત્યાંથી નીકળતા પેલા શખ્સને બચાવવા આવ્યો હોવાની શંકા કરીને ત્રણ શખ્સોએ તેને છરીના ઘા ઝીકી પતાવી દીધો હતો. હાલ મૃતકના પત્નીએ અજાણ્યા ત્રણ શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

- text

મોરબીના જાંબુડિયા ગામે આવેલ લેટીના સીરામીક ટાઇલ્સ કારખાનામાં રહીને મજૂરી કામ કરતી લીલાબેન ઉર્ફે લલિતાબેન વરસિંગભાઈ વહોનિયા ઉ.વ.43 એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.કે ,શનિવારે સાંજે લાલપર પાવર હાઉસ બાજુથી એક બાઈકમાં ત્રણ શખ્સો લેટીના કારખાના પાસેના ગેઇટ ઉપર આવ્યા હતા. તે સમયે આ કારખાનામાં રહેતો સુનિલભાઈ ભદીયાભાઈ નામનો શખ્સ કારખાનામાં કામ પરથી છૂટીને ઘર તરફ જઈ રહ્યો હતો. જોકે આ ત્રણ શખ્સો કોઈ જૂની અદાવતનો ખાર રાખીને સુનિલભાઈને માર મારવા આવ્યા હોવાથી બાઈકમાંથી એક શખ્સ ઉતરીને છરી કાઢીને સુનિલભાઈનો કાંઠલો પકડી તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુનિલભાઈ તેનાથી બચીને ત્યાંથી નીકળી ગયા હતા.તે સમયે ફરિયાદીના પતિ વરસિંગભાઈ ફતીયાભાઈ ત્યાંથી નિકળા હતા.આથી ત્રણેય શખ્સે વરસિંગભાઈ સાહેદ સુનિલભાઈને બચાવવા આવ્યા હોવાનું સમજીને ત્રણ શખ્સોએ વરસિંગભાઈને છરીને ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પત્નીની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે.

- text