મોરબીના ‘એકતા એ જ લક્ષ’ સંગઠનએ અંધજનોને ભાવતા ભોજનિયાં કરાવ્યા

- text


મોરબી : ‘એકતા એ જ લક્ષ’ સંગઠનની મોરબી – યુવા શાખા દ્વારા સામાજિક કાર્ય આવે છે. જે અંતર્ગત મોરબીમાં આવેલ લક્ષ્મી નગર ખાતે અંધ આશ્રમમાં અંધ પરિવારોને ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજન સંગઠનના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આવી રીતે દર બે અઠવાડિયે સામાજિક સેવાનું કાર્ય કરવામાં આવે છે.

આ સેવાકીય પ્રવૃતિઓ ‘એકતા એ જ લક્ષ’ સંગઠનના સંયોજક બાપુ ભગીરથસિંહ રાઠોડના નેતૃત્વ હેઠળ કરવામાં આવે છે. જેમાં યુવા વર્ગના ગુરુ ગોસાઈ, નીરવ દવે, ઋત્વિકભાઈ, ધર્મેન્દ્રભાઈ, જયદીપસિંહ, માધવભાઈ, સત્યજિતસિંહ, કેતનભાઈ સહિતના યુવાનો દ્વારા ‘એકતા એ જ લક્ષ’ સંગઠન અંતર્ગત અનેક સામાજિક કાર્યો કરવામાં આવશે. ‘એકતા એ જ લક્ષ’ સંગઠનનો મુખ્ય હેતુ અઢાર વર્ણના લોકોને સાથે લઈને હિન્દુત્વ માટે સેવાકીય કાર્યો કરવાનું છે.

- text

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text