વાંકાનેર : “તુ અત્યારે દુકાને કેમ બેઠો છે” તેમ કહીને યુવાનને માર માર્યો

- text


બે શખ્સો સામે માર માર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરના દાતાર ટેકરી પાસે આવેલી દુકાને બેસવા મામલે મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ યુવાનને માર માર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના દાતાર ટેકરી પાસે રહેતા અખતરભાઇ આમદભાઇ મકરાણી (ઉ.વ.૨૨)એ આરોપીઓ બાવાજી મુન્નાભાઇ તથા તેનો ભાણેજ જયેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૨૧ના રોજ ફરીયાદી પોતાની શેરીમા દુકાને બેઠો હતો. ત્યારે આરોપીઓ દુકાને આવી ફરીને કહેલ કે “તુ અત્યારે દુકાને કેમ બેઠો છે.” તેમ કહીને આરોપીઓએ ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાય જઇ ફરીયાદીને હાથે પગે મુંઢમાર મારી મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text