હળવદમાં કાલે શુક્રવારે ૧૫થી વધુ વિસ્તારોમાં વીજ પુરવઠો રહેશે બંધ

- text


ફીડર સમારકામને લઇ સવારના ૬ થી બપોરના ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે

હળવદ: હળવદમાં આવતીકાલે એટલે કે શુક્રવારના રોજ રેલ્વે ફીડરના સમારકામને લઇ સવારથી બપોર સુધી વીજપુરવઠો શહેરના પંદરેક વિસ્તારોમાં બંધ રહેનાર હોવાનું પીજીવીસીએલ કચેરીએ એક પ્રસિદ્ધ કરેલી યાદીમાં જણાવાયું છે.

હળવદ પીજીવીસીએલ શહેર પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેરની યાદીમાં જણાવ્યું છે કે તારીખ 23 ને શુક્રવારના રોજ રેલવે ફિડરના સમારકામ હેતુ માટે સવારે ૬.૩૦ થી બપોરના ૩ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. જેમાં શંકરપરા, કુંભારપરા, ખારીવાડી, રેલવે સ્ટેશન વિસ્તાર, અન્નક્ષેત્ર વિસ્તાર, માધાપર, કણબીપરા, મહાદેવ નગર, કૃષ્ણનગર, ભવાની નગર, ઉમિયા ટાઉનશીપ, સોનીવાડ, ટીકર રોડ, લક્ષ્મીનારાયણ ચોક અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેની નાગરિકોએ નોંધ લેવા એક યાદીમાં જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text