ઘીયાવડ પ્રાથમિક શાળા દ્વારા ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓ અને કોરોના શપથ જેવી પ્રવત્તિઓ કરાઈ

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી.-જૂના કણકોટમાં હાલ હોમ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ શાળા અને શીક્ષકો સાથે જોડાયેલા રહે તે હેતુથી મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણીને અનુલક્ષીને શાળાના ધો. ૩થી ૮ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. તે અન્વયે સીઆરસી CO. ગિરિરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો વિરેન્દ્રસિંહ, નમ્રતાબા, દિનેશભાઈ, રવજીભાઈ, વિજયભાઈ અને મિરલબેન દ્વારા ગાંધીજીના જીવનકવન વિષયક પ્રશ્નોતરી તૈયાર કરીને ms team ના માધ્યમથી ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ આચાર્ય તરફથી આપવામાં આવેલ હતા.

ઉપરાંત, વિદ્યાર્થીઓમાં કોરોના વાઇરસ સામે જાગૃતિ આવે તે માટે ઓનલાઇન શપથ પણ લેવડાવવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા ગામમાં કોરોના વાઇરસ મહામારી સામે લોક જાગૃતિની લડતના ભાગ રૂપે ઠેર-ઠેર શપથ પત્રિકા ચોંટાડવામાં આવી હતી. તેમજ શાળા દ્વારા વર્ચ્યુઅલ ક્લાસની સાથે સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે તા.૧૭ થી ૨૧ ઑક્ટોબર સુધી ઘરે બેઠા ઓનલાઈન “આરતી થાળીની શણગાર સ્પર્ધા” પણ આયોજિત કરાઈ છે. જેમાં આજ સુધીમાં 50થી વધુ વિદ્યાર્થીનીઓ ભાગ લઈ ચૂકી છે. અને વાલીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે. દરેક સ્પર્ધકને આચાર્ય તરફથી ઈનામ આપવામા આવશે. તેમ ઘીયાવડ પ્રાથમિક શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text