ટંકારામાં ગતરાત્રે વરસાદી માહોલમાં અજાણ્યા આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


ટંકારા : ટંકારામાં ગતરાત્રે વરસાદી માહોલમાં એક અજાણ્યા પુરુષે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ટંકારામાં ગઈકાલે તા. 18ના રોજ સાંજથી ભારે વરસાદ હતો. જેના કારણે લાઈટ ગુલ થઈ ગઈ હતી. આવા સમયે ટંકારામાં લજાઈ ચોકડી નજીક આવેલ ગુરુકૃપા હોટલ પાસે એક ખંડેર જેવા મકાનમાં એક આધેડ વયના અજાણ્યા પુરુષે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. હાલમાં પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ કરવા તેના સગા-વહાલાઓની શોધ આદરી છે. તેમજ આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text