17 ઓક્ટોબર : મોરબી જિલ્લામાં આજે સિટીમાં 7 અને ગ્રામ્ય વિસ્તારમાં 14 કેસ નોંધાયા, બે દર્દીના મૃત્યુ

- text


મોરબી તાલુકામાં 18, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 1 અને માળીયા તાલુકામાં 1 નવા કેસ નોંધાયા : સીટી કરતા ગ્રામ્ય વિસ્તારમાં કેસ વધ્યા : મોરબી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્ય થયુ પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર નથી કરાયું : કુલ મૃત્યુ આંક થયો 116

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 17 ઓક્ટોબર, શનિ વારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 948 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 21 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 07
મોરબી ગ્રામ્ય : 11
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 21

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

- text

મોરબી તાલુકામાં : 09
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 14

આજે પણ મોરબી જિલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્ય થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર નથી કરાયું.

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 184
કુલ ડિસ્ચાર્જ કેસ : 1725
મૃત્યુઆંક : 17 (કોરોનાના કારણે) 99 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 116
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2025
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 75094

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text