- text
મોરબી : મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓનલાઇન વેબીનારના માધ્યમથી આજે મહિલા કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લાના ભાઇઓ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક ડૉ. હેમાંગીબેન ડી. મહેતાએ પોષકતત્વયુક્ત આહાર લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે તેવી માહિતી આપી હતી અને શ્રી ડી.એ.સરડવા, સીનિયર સાયન્ટીસ્ટ અને હેડ.કે.વિ.કે.એ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું તેમજ ગમનસિંહ ઝાલા, એગ્રીકલ્ચર ઓફીસરે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના અંતે પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા.
- text
- text