મોરબીની SP કચેરી ખાતે સાત પોલીસ કર્મીઓને નિવૃત્તિ વેળાએ સન્માનપૂર્વક વિદાય અપાઈ

- text


 

મોરબી : મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા સાત પોલીસ કર્મચારીઓ નિવૃત થયા છે. ત્યારે મોરબીમાં પોલીસવડાની કચેરી ખાતે સાત પોલીસ કર્મીઓને સન્માનપૂર્વક વિદાય આપવા સમારોહ યોજાયો છે.

- text

મોરબી જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ASI અનિરુધ્ધસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજા, ASI પ્રભાતભાઈ હુંબલ, અનિલભાઈ ભટ્ટ, રયાભાઈ શિયાળા, હીરાભાઈ કાનગઢ અને હરદેવસિંહ જાડેજા એમ સાત પોલીસ કર્મચારીઓ નિવૃત થયા છે. ત્યારે તેમને નિવૃત્તિ વેળાએ વિદાય આપવા સમારોહ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા SP એસ. આર. ઓડેદરા, DySP રાધિકા ભારાઈ તેમજ SOG PI જે. એમ. આલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમ દરમિયાન નિવૃત સાતેય કર્મચારીઓને નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ફારૂકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આભાર વિધિ કે. એચ. રાવલ દ્વારા કરવામાં આવી હતી.

- text