- text
મોરબી : આજે મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતિ નિમિત્તે તા. 02/10/2020ના રોજ મોરબીની સબ જેલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ ગાંધીજીના જીવન ચરિત્ર મુજબ ગાંધીજીનું પાત્ર નિભાવવામાં આવ્યું હતું. ગાંધીજીના પાત્ર દ્વારા ગાંધીજીના સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના લીધે માર્યાદિત લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આમ, સબ જેલમાં ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે.
- text
મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate
- text