મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને તેમના પત્ની- પુત્ર થયા કોરોનાથી સંક્રમિત

- text


 

અમૃતિયા પરિવાર ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયો : સંપર્કમાં આવેલાને હોમ ક્વોરન્ટાઇન થવા અપીલ

મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની તથા પુત્ર કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવી રહ્યા છે. તેઓ હાલ ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે.

કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. તે દરમિયાન લોકોના પ્રશ્ને સતત ફિલ્ડમાં રહેતા એવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમની સાથે તેઓની પત્ની અને પુત્રનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે આવેલા તેઓના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે.

- text

કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું છે કે ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અંગત કાળજી લઈને ડૉક્ટર્સની ટીમ પણ મોકલી આપી હતી. જે નિયમિત ચેકઅપ કરે છે. છેલ્લા થોડા દિવસોમાં જે કોઈ વ્યક્તિ ગેકના સંપર્કમાં આવ્યા હોય તેઓને કોરોના ટેસ્ટ કરાવવા તથા હોમ ક્વોરન્ટાઇન થવાની અપીલ છે. અંતમાં તેઓએ મોરબી અને માળિયાવાસીઓ જોગ જણાવ્યું છે કે તેઓ આગામી 15 દિવસ મોરબી નહિ હોય.

ફાઇલ ફોટો

- text