સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનો સમાપન કાર્યક્રમ આવતીકાલ ગુરુવારે ઓનલાઇન યોજાશે

- text


મોરબી : સંસ્કૃત ભારતી – મોરબી જનપદ દ્વારા આયોજિત તાલુકા ઓનલાઇન સંસ્કૃત સંભાષણ વર્ગનો સમાપન કાર્યક્રમ આવતીકાલ તા. 1 ઓક્ટોબરને ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યાથી 6-30 વાગ્યા દરમિયાન ઓનલાઇન યોજાશે. આ કાર્યક્રમમાં જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદી મુખ્ય વક્તવ્ય આપશે. તેમજ આ કાર્યક્રમમાં મોરબી અપડેટના સ્થાપક દિલીપભાઈ બરાસરાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. અને શાસ્ત્રી વિપુલભાઈ આચાર્ય પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મંત્રો, કથા, ગીત જેવી કૃતિઓ રજૂ કરવામાં આવશે. આવતીકાલે ગૂગલ મીટ એપ્લિકેશન પર ( https://meet.google.com/vek-nrfe-rwt ) યોજવામાં આવશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text