કેન્દ્ર સરકારે અનલોક-5ની ગાઈડલાઈન કરી જાહેર…સિનેમાને છૂટ : જાણો હાઈલાઈટ

- text


મોરબી : કેન્દ્ર સરકારે આજે સાંજે અનલોક 5ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જેમાં ખાસ તો 15 ઓક્ટોબરથી 50% કેપેસિટી સાથે સિનેમા, થિએટર અને મલ્ટિપ્લેક્સને ખોલવાની છૂટ આપવામાં આવી છે. આ સાથે પણ અનેક છૂટ અપાઈ છે. જેની હાઈલાઈટ નીચે મુજબ છે.

 

  • સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિએટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે ખોલવાની છૂટ

  • ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે

  • બિઝનેસ એક્ઝિબિશનને વાણિજ્ય મંત્રાલયની શરતોને આધિન અપાશે મંજૂરી

  • મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે

  • સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકારને નિર્ણય લેવાની છૂટ

  • સ્કૂલો ખૂલ્યા બાદ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી

  • ઓનલાઈન-ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવાની હિમાયત

  • વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ- કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે

  • પીએચડી-અનુસ્નાતક જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 15મી પછી લેબ/પ્રયોગકાર્યને મંજૂરી

  • કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે

  • બંધ હોલમાં બેઠક ક્ષમતાના મહત્તમ 50% અને વધુમાં વધુ 200 લોકોને મંજૂરી અપાશે. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-થર્મલ સ્ક્રીનિંગ-હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે

  • કોમર્શિયલ ધોરણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધિત

  • મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળો બંધ રહેશે

  • 31 ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્ત અમલ જારી

  • રાજ્ય સરકારો કન્ટેન્મેન્ટ ઝોન બહાર કોઈ લોકડાઉનનો અમલ નહીં કરી શકે

  • આંતરરાજ્ય તથા રાજ્યની અંદરના પરિવહન પર કોઈ રોકટોક નહીં

- text