મોરબીના મચ્છુકાંઠા આહીર કેળવણી મંડળની સાધારણ સભામાં ટ્રસ્ટી મંડળના હોદેદારોની નિમણુંક કરાઈ

- text


મોરબી : ગઈકાલે મચ્છુકાંઠા આહીર કેળવણી મંડળ – મોરબીની વાર્ષિક સાધારણ સભા મળેલ હતી. જેમાં સભાના એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. સૌ પ્રથમ સમાજના અગ્રણી અને ટ્રસ્ટી દિવંગત ધીરુભાઈ ચાવડાને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. કોરોનાના કારણે મંડળને આર્થિક મુશ્કેલી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિમાં વાડીનું ભાડું યથાવત રાખવામાં આવ્યું અને નવા ટ્રસ્ટી મંડળમાં કુલ ૧૫ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી.

- text

જેમાં પ્રમુખ ડાંગર દેવદાનભાઈ જેસીંગભાઈ, ઉપપ્રમુખ હુંબલ પરબતભાઈ ભવનભાઈ, મંત્રી ગોહેલ નારણભાઈ હરદાસભાઈ, સભ્યો કુવાડીયા મુકેશભાઈ ભુરાભાઈ, લાવડીયા નાથાભાઈ ડાયાભાઈ, ડાંગર પરબતભાઈ બેચરભાઈ, હુંબલ કરસનભાઈ ખોડાભાઈ, મિયાત્રા રામભાઈ સવાભાઈ, ડાંગર સુખાભાઈ દેવરાજભાઈ, લાવડીયા જેસંગભાઈ બીજલભાઈ, બાલસરા કરસનભાઈ દેવાભાઈ, મિયાત્રા ભાનુભાઈ હમીરભાઈ, રાઠોડ મેણદભાઈ આલાભાઈ, ડાંગર અશોકભાઈ સુખાભાઈ, રાઠોડ પ્રદીપભાઈ ગોવિંદભાઈનો સમાવેશ થાય છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text